Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીના સંતો દ્વારા નરેન્‍દ્રભાઇનુંસન્‍માન :

વાંકાનેર : બોટાદ ખાતે વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીએ જાહેરસભા  સંબોધી હતી. જગ વિખ્‍યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી અને શ્રી સુખદેવ પ્રસાદદાસજી સ્‍વામી - ગોકુલધામ, નરેન્‍દ્રભાઈ મોદીની શુભેચ્‍છા મુલાકાત લીધેલ અને શ્રી હનુમાનજી મહારાજના આશીર્વાદ સાથે પ્રધાનમંત્રીને લોકશાહીના ઉત્‍સવ માટે હાર્દિક શુભકામના પાઠવી હતી અને શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની મૂર્તિ અર્પણ કરેલ હતી.

(11:08 am IST)