Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

જૂનાગઢ સીવીલ હોસ્‍પીટલમાં પ્રાગદાસબાપાની અન્નક્ષેત્ર ટ્રસ્‍ટ દ્વારા જમવાની સુવિધા

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૨૧ : કોઈપણ બીમારી સબબ કોઈપણ લોકોને જૂનાગઢ સીવીલ હોસ્‍પીટલમાં અથવા શહેરની કોઈપણ હોસ્‍પીટલમાં જવુ પડે તેમ હોય અને હોસ્‍પીટલના કામથી જૂનાગઢ શહેરમાં રોકાવુ પડે તેમ હોય અને રહેવા જમવાની કોઈ સગવડતા ન હોય તેવા લોકો માટે સમર્થ પ્રાગદાસબાપાની રામવાડી-૧ દ્વારા બિલકુલ નજીવા દરે (ભાવે) રહેવા તથા જમવાની સેવા અપાઈ રહી છે તો આ સેવાનો લાભ દરેક જરૂરીયાતમંદ લોકો લઈ શકશે.

જેમાં માત્ર રૂ.૨૫માં પ્રતિ એક વ્‍યક્‍તિને જમવાનુ મળશે અને માત્ર રૂ. ૫૦ માં પ્રતિ બે  વ્‍યક્‍તિને રહેવા માટે એક રૂમ મળશે અને કોઈ વ્‍યકતિ હોસ્‍પીટલમાં દાખલ (એડમીટ) હોય તો તેના માટે પણ જમવા (ટિફિન) ની સગવડ કરી આપવામાં આવશે.

ઉપરોકત તમામ સેવા સમર્થ પ્રાગદાસબાપાની (રામવાડી-૧) અન્નક્ષેત્ર ટ્રસ્‍ટ ગાયત્રી મંદિરની સામે ગીરનાર રોડ જૂનાગઢ દ્વારા કરવામાં આવે છે.

તો દરેક મિત્રોને ખાસ વિનંતી આ મેસેજ શકય હોય એટલો ફરતો કરો કદાચ તમારા હાથથી મોકલાવેલ આ મેસેજ કોઈ જરૂરીયાતમંદ સુધી પહોંચે અને તમારા કારણે આ સેવાનો લાભ વધારેમાં વધારે લોકો લઈ શકે. વધુ માહિતી માટે ભરતભાઈ બોરીચા ૯૨૭૬૮ ૧૭૨૧૮ નરેન્‍દ્રભાઈ ભટ્ટ ૯૯૨૫૮ ૧૮૩૩૬ દીપકભાઈ જીલડીયા ૯૯૭૮૪ ૬૮૮૯૪નો  સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.

(11:14 am IST)