Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

જુનાગઢમાં પૂ. ઇન્‍દ્રભારતીબાપુ સહિતના સંતો દ્વારા સાયકલ રેલી દ્વારા મતદાન કરવા અપીલ

જુનાગઢ : ચૂંટણી મતદાનમાં વધારો થાય તેવા શુભ હેતુથી જૂનાગઢ શ્રી રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમથી કાળવા ચોક સુધી ઇન્‍દ્રભારતીબાપુની આગેવાની હેઠળ ગિરનાર મંડળ સાધુ સમાજની સાયકલ રેલી યોજી મતદાન જાગૃતિ અભિયાન ચલાવી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી જેમાં પૂ. ઇન્‍દ્રભારતીબાપુએ જણાવ્‍યું હતું કે વિધાનસભાની ચૂંટણી આગામી તા. ૧ ડીસે.ના રોજ યોજાનાર છે. જિલ્લાનું વહીવટી તંત્ર કલેકટર શ્રી રચિત રાજના માર્ગદર્શન હેઠળ મતદાન અંગે મતદારોમાં જાગૃતિ લાવવા અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે છે ત્‍યારે સાધુ-સંતોએ મતદાનનું મહત્‍વ અને લોકશાહીની ગરીમા જાળવવાનો સંદેશો સાયકલ રેલી યોજી આપેલ. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર મુકેશ વાઘેલા)

(11:41 am IST)