Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

આર્થિક સંકડામણથી જૂનાગઢના પાદરીયાની પરિણીતાનો આપઘાત

ચુંદડી વડે ગળાફાંસો ખાધો

(વિનુ જોષી) જૂનાગઢ,તા. ૨૧ : આર્થિક સંકડામણથી જૂનાગઢના પાદરીયા ગામની એક પરિણીતાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જૂનાગઢ તાલુકાના પાદરીયા ગામે કોળી ફળીયામાં રહેતા ૨૭ વર્ષીય સેજલબેન રાજેન્‍દ્રભાઇ બારૈયા નામની પરિણીતાએ રાત્રીના સમયે પોતાના ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઇને આત્‍મહત્‍યા કરી લીધી હતી. આ અંગે મૃતકના પાડોશી મનોજભાઇ ડાભીએ જાણ કરતા તાલુકા પોલીસ દોડી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં મરનાર સેજલબહેને આર્થિક સંકડામણને લઇ આપઘાત કર્યો હોવાનું જણાયું હતું.

વિશેષ તપાસ એએસઆઇ કે.એમ.દાફડા ચલાવી રહ્યા છે. 

(11:58 am IST)