Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

નરેન્‍દ્રભાઇએ અમરેલી ભાજપ-જનસંઘ અગ્રણી કિશોરભાઇ દવે સાથે મુલાકાત કરી

રાજકોટઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી ગઇકાલે અમરેલીની મુલાકાતે આવ્‍યા હતા વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જનસંઘ અને ભાજપના વરિષ્‍ઠ અગ્રણી કિશોરભાઇ દવેની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. અને ખબર-અંતર પુછયા હતા.કિશોરભાઇ દવે જનસંઘ વખતથી ભાજપનુ કામ કરે છે...અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અમરેલી નગરપાલિકા પ્રમુખ, જી.પી.એસ.સી.બોર્ડ મેમ્‍બર, ભાજપ પ્રદેશ કારોબારી, ભાજપ રાષ્‍ટ્રીય પરીક્ષદ સભ્‍ય, સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મસમાજના પ્રમુખ  તથા એડવોકેટ સહિત અનેક જવાબદારીઓ નીષ્‍ઠા પુર્વ નીભાવી એમના જીવનમાંથી શીખીને રાજનીતીમાં તેમની ત્રીજા પેઢી ભાજપમાં કાર્યરત છે. અમરેલી સ્‍થિત બાજ ખેડવાળ બ્રાહ્મણ જ્ઞાતીબંધુ કિશોરભાઇ વી.દવે અમરેલી રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘના આજીવન તેમજ ભાજપાના પીઢ કાર્યકર્તા છે કિશોરભાઇ દવે તેમજ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી રાષ્‍ટ્રીય સ્‍વયમ સેવક સંઘ તેમજ ભાજપાના જુના સાથી છ.ે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના અમરેલીના પ્રવાસ દરમિયાન કિશોરભાઇ દવેને ખાસ યાદ કરીને ઉપસ્‍થિત રહેવા કહેલ હતું કિશોરભાઇ દવે મેહુલભાઇ દવે-(આઇ.એ.એસ)ડી.ડી.ઓ. ખેડાના અને માધવભાઇ દવે (રાજકોટ શહેર ભાજપના મંત્રી)ના પિતા છે. અમરેલી સ્‍થિત કિશોરભાઇ દવે તેમજ સ્‍વ.ભીખુભાઇ દવે પરિવાર જ્ઞાતિને હમેશા મદદરૂપ થતા રહ્યા છ.ે ભાજપમા કિશોરભાઇ દવેની ત્રીજી પેઢી સેવાકાર્યમાં છે માધવભાઇ દવે ઉપરાંત મનીષભાઇ દવેના પુત્ર અર્જુનભાઇ દવે પણ અમરેલી શહેર યુવા ભાજપ પ્રમુખ છે.

(1:25 pm IST)