Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

મોરબી પંથકમાં અપમૃત્‍યુના બે બનાવ

રાજપરા ગામે વિજકરંટથી અશોકભાઇ પર માર અને રફાળેશ્વર ગામે ભીમાભાઇ કાંજીયાનો ફાંસો ખાઇ આપઘાત : પાનેલી ગામની સીમમાંથી તરૂણનો મૃતદેહ મળ્‍યો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૨૧: મોરબી તાલુકામાં અપમળત્‍યુના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે.

પ્રથમ બનાવમાં મોરબીના રાજપર ગામ નજીક આવેલ ગુરુકળપા વોટર સપ્‍લાયર કારખાનામાં અશોક ધીરુભાઈ પરમાર (ઉ.૧૮) ને વીજ શોક લાગતા તેનું મળત્‍યુ થયું  હતું.

બીજા બનાવમાં મોરબીના રફાળીયા ગામે આવેલ આંબેડકર કોલીની પાછળ રહેતા કાન્‍તીભાઈ મગનભાઈ કાંજીયાના દીકરા ભીમાભાઇ (ઉ.૨૮)એ પોતાની રહેણાંક મકાનની ઓરડીમાં કોઈ કારણોસર પોતાની ગળેફાંસો ખાઈ આપધાત કરી  લીધા હતો. તેમજ મોરબીના પાનેલી ગામે રહેતા  મેરૂ મુકેશભાઈ આંત્રેશા (ઉ.૧૩) નો મળત દેહ પાનેલી ગામની સીમમાંથી મળી આવતા ગ્રામજનો દોડી ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસે દોડી આવીને મળતદેહને પી એમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

(1:28 pm IST)