Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

જૂનાગઢ જાદવ પરિવાર દ્વારા ભકિત સંગીતનો કાર્યક્રમ

જૂનાગઢઃ શ્રી સ્વામિનારાયણ મુખ્યમંદિર ખાતે સ્વ. ચેતનભાઇ જાદવની પુણ્યસ્મૃતિમાં ડો.શૈલેષ જાદવ પરિવાર દ્વારા શા.સ્વા.નારાયણચરણદાસજીના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં શ્રી મ્યુઝિક પ્રસ્તુત ભકિત સંગીતનો કાર્યક્રમ પાર્શ્વગાયક દિપક જોષી, મોહિત પંડ્યા તથા કલાવૃંદએ રજુ કરેલ. જેમાં મંદિરના ચેરમેન દેવનંદન સ્વામી કોઠારી પ્રેમસ્વરૃપદાસજી કુંજવિહારી સ્વામી પી.પી.સ્વામી પુજારી ધર્મકિશોર સ્વામી તેમજ ત્રિમુર્તિ હોસ્પિટલના ડો.ડી.પી.ચિખલીયા તેમજ સેન્ટર અર્થોકેરી ઓર્થોપેડીક હોસ્પિટલના ડો.ભાવેશ ટાંક તેમજ પૂર્વ મેયર ધીરૃભાઇ ગોહેલ સહિતના ઉપસ્થિત રહ્યા ઉપરોકત તસ્વીરમાં કથાનું રસપાન કરાવતા શા.સ્વા. નારાયણચરણદાસજી તેમજ ભકિત સંગીતનો કાર્યક્રમ રજુ કરતા દિપકજોષી મોહિત પંડ્યા તેમજ અકિલાના માધ્યમથી આ ભાગવત કથાનો પ્રચાર અને પ્રસાર કરવા બદલ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીનું સિધ્ધેશ્વર મહાદેવની છબી અર્પણ કરી ઉપવસ્ત્ર ઓઢાડી સન્માન કરતા ડો.શૈલેષ જાદવ તેમજ ઉપસ્થિત સંતો અને ડો.ડી.પી.ચીખલીયા સહિતના તબીબો નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:30 pm IST)