Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

જુનાગઢમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહમિલન અને નવી ટીમનું સન્માન

જુનાગઢ : રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન ગાંધીગ્રામ ખાતે નુતન વર્ષ નિમિતે સ્નેહ મિલન અને માતૃ સંસ્જા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના તાજેતરમાં ચુંટાયેલ પ્રમુખ યુવા ઉદ્યોગપતિ બંકીમભાઇ મહેતા ઉપપ્રમુખ વાસુદેવભાઇ જોષી તેમજ મંત્રી સંજયભાઇ દવે અને સહમંત્રી જીતુભાઇ બોરીસાગર ખજાનચી ભવસુખભાઇ મંડિર ઓડિટર કમલેશભાઇ ભરાડ સહિતના નવ નિયુકત હોદેદારોનું રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન કમીટીના પ્રમુખ શશીકાંત બોરીસાગર અને રાજગોર સમાજના મોભી  અશોકભાઇ પંડયા કમલેશભાઇ ભરાડ, મનુભાઇ રવિયા સહિતના આગેવાનોએ કર્યુ હતુ. આ તકે સન્માનના પ્રત્યુતરમાં નવનિયુકત પ્રમુખ બંકિમભાઇ મહેતાએ જણાવ્યું હતું કે સમાજે અમને જે જવાબદારી સોંપી છે તે પુરી નિષ્ઠા સાથે બજાવીશુ તેમજ અમદાવાદ સ્થિત વિદ્યાર્થી ભુવનનું અધુરૃ રહેલ બાંધકામ વહેલી તકે પુર્ણ થાય તે માટે પ્રયત્નશીલ રહેશુ. તેમજ અકિલાના માધ્યમથી સમાજના સમાચારોના પ્રચાર અને પ્રસાર કરતા અને ઓછુ બોલતા અને વધારે કામ કરતા અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીનું ફુલહાર પહેરાવી બંકિમભાઇ મહેતાએ સન્માન કરેલ. ઉપરાંત મંત્રી સંજયભાઇ દવેએ પણ સમાજને સાથે રાખી વિકાસ કરવા જણાવેલ તેમજ નિવૃત ડેપ્યુટી કલેકટર ગુણવંતભાઇ ભરાડે જણાવેલ કે આ નવી ટીમ ખુબ ઉત્સાહી છે અને સમાજ તે માટે ખુબસારૃ કામ કરશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી તેમ અંતમાં જણાવેલ (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા)

(1:31 pm IST)