Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

મોરબી ઝૂલતા પુલ મામલે રાહુલ ગાંધીનો આકરો પ્રહાર : કહ્યું -ચોકીદારોને પકડ્યા જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી નહિ

આ બ્રિજ બનાવનારા ભાજપ સાથે સબંધ ઘરાવતા હતા એટલે તેમની પર કાર્યવાહી કરવામાં ના આવી એફઆઇઆર કરવામાં ના આવી: રાહુલ ગાંધીનો આક્ષેપ

રાજકોટ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાના પ્રચાર અભિયાનમાં ઝુકાવ્યું છે ત્યારે રાહુલ ગાંધીએ આજે રાજકોટમાં બીજી ચૂંટણી સભા સંબોધી હતી.

 આ તકે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોરબી ટ્રેજડી ભાજપ સરકાર પર વાર કર્યો હતો. તેમજ આક્ષેપ લગાવ્યો હતો આ બ્રિજ બનાવનારા ભાજપ સાથે સબંધ ઘરાવતા હતા એટલે તેમની પર કાર્યવાહી કરવામાં ના આવી એફઆઇઆર કરવામાં ના આવી.

(7:41 pm IST)