Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ચરડવા સ્વામિનારાયણ મંદિરના ધર્મવલ્લભ સ્વામીજીને કોવીશિલ્ડ વેક્સીન અપાઈ

ગુરુજી દ્વારા ગ્રામજનોને પણ કોવીશિલ્ડ વેક્સીન લેવા માટે અપીલ કરાઈ

ચરડવા સ્વામિનારાયણ મંદિરના ગુરુજી ધર્મવલ્લભ સ્વામીજીને ડીડીઓ પરાગ ભગદેવ, મુખ્ય જિલ્લા આરોગી અધિકારી કાતિરા, જીલ્લા પંચાયત ચરાડવા બેઠકનાં સદાસ્ય પ્રવીણભાઈ સોનાગ્રાની હાજરીમાં કોરના સામે રક્ષણ આપતી કોવીશિલ્ડ વેક્સીન આપવામાં આવેલ હતી અને આ તકે ગુરુજી દ્વારા ગ્રામજનોને પણ કોવીશિલ્ડ વેક્સીન લેવા માટે અપીલ કરવામાં આવેલ છે અને વધુમાં વધુ લોકો સરકારનાં આ મહા અભિયાનમાં જોડાય અને બહોળા પ્રમાણમાં વેક્સિન લેવા આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે

(9:15 pm IST)