Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

મોરબીમાં ચકલી દિનની ઉજવણી

 મોરબી :  વિશ્વ ચકલી દિવસ નિમિતે પર્યાવરણ પરિવાર દ્વારા ચકલીના માળા, અને પંખી માટે પાણી પરબ, મચ્‍છુ નદીના કાંઠે કુદરતના સાંનિધ્‍યમા આવેલ પૌરાણિક મંદિર શંકરાશ્રમ મંદિર ખાતે મૂકવામા આવ્‍યા હતા. પર્યાવરણ પરિવારના સભ્‍યો ડાભી મિતેશ, ડાભી જયેશ, ઓઝા ભવ્‍ય, વિવેક ગજ્જર, પરમાર રૂપેશ ( કવિ જલરૂપ) તેમજ પારસભાઈ મહેતા આ કાર્યમાં ઉપસ્‍થિત રહી ચકલી દિવસની ઉજવણી કરી હતી.

(10:51 am IST)