Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

સાયલાના ઢાંકણીયાના મનહરભાઇનું રાજકોટમાં ઉલટી થયા બાદ મોત

દવા લીધા બાદ ગ્રીનલેન્‍ડ ચોકડીએ ઉભા'તા ત્‍યારે બનાવ

રાજકોટ તા. ૨૨: સાયલાના ઢાંકણીયા ગામના મનહરભાઇ રતનભાઇ ગઢવી (ઉ.વ.૫૫)ની તબિયત ખરાબ હોઇ રાજકોટ બતાવવા આવ્‍યા હતાં. દવા લીધા બાદ ગઇકાલે સાંજે પરત ગામડે જવા ગ્રીનલેન્‍ડ ચોકડીએ વાહન માટે પહોંચ્‍યા હતાં. અહિ ઉભા હતાં ત્‍યારે અચાનક ઉલ્‍ટીઓ થવા માંડતા બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો.

હોસ્‍પિટલ ચોકીના એએસઆઇ રાજુભાઇ ગીડાએ જાણ કરતાં બી-ડિવીઝનના હેડકોન્‍સ. વી. કે. સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી. તેઓ ખેત મજૂરી કરતાં હતાં.(૧૪.૭)

(11:38 am IST)