Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

જેશીંગપરાના કેબીનધારકો પર લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ એટલે ''ચિભડાના ચોરને ફાંસીની સજા''

અમરેલીમાં ૪૦ વર્ષથી ધંધો કરતાં ગરીબ કેબીન ધારકોની દુકાનોને કાયદેસર કરી આપો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૨૨ : બે દિવસ અગાઉ અમરેલી જીલ્લાના વહીવટીતંત્રે, જેશીંગપરાના શિવાજી ચોકમાં છેલ્લા ૪૦ વર્ષોથી નાનો-મોટો ધંધો કરી પેટીયું રળતાં મૂળ કેબીનધારકો પર પાકી દુકાન બાંધવાના મુદ્દે લેન્ડ ગ્રેબીંગ એકટ લગાડી ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારે મખ્યમંત્રીશ્રી સમક્ષ ઉગ્ર રજુઆત કરી, આ દુકાનોને શહેરી વિકાસ દ્વારા પશ્રાદ મંજુરી આપી કાયદેસર કરી દેવા અપીલ કરી હતી. ડો. કાનાબારે મુખ્યમંત્રીને આ મદા અંગે ખુલાસા સાથે પત્રમાં જણાવ્યું છે કે કેબીનધારકો લગભગ છેલ્લા ૪૦ વર્ષથી રસ્તાની સાઈડમાં કેબીનોમાં નાનો મોટો ધંધો કરી ગુજરાન ચલાવે છે. ૧૯૯૧માં આ કેબીનધારકોએ તેમની કેબીનોને રેગ્યુલરાઈઝ કરવા ગજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન (નં. ૫૫૮૪/૯૧) કરી હતી. ૨૫ વર્ષ બાદ, તા.૩/૭/ર૦૧૫ના રોજ તેનો ફાઈનલ ચકાદો આવ્યો જેમાં હાઈકોર્ટે આ કેબીનધારકો પરત્વે સહાનુભૂતિ રાખી તેમના માટે નગરપાલિકાને યોગ્ય વિચારણા કરવા હુકમ કરેલ.

 આ ચુકાદા બાદ નગરપાલિકાએ તા. ૨૨/ર/ર૦૧૬ના રોજ આ કેબીનધારકોને નિયત માપ-સાઈઝની જમીન ફાળવવાનો ઠરાવ કરેલ. ત્યારબાદ, તા. ૧૨/૪/ર૦૧૬ના રોજ ન.પાલિકાએ, કેબીનોની જગ્યાએ પાકી દુકાન બાંધવા સરકારી જમીનની માંગણી સાથેની દરખાસ્ત (પત્ર નં. - જે.પરા/કેબીન/૩૪/ર૦૧ ૬-૧૭) જીલ્લા કલેકટરશ્રીને કરેલ. જીલ્લા કલેકટરશ્રી દ્વારા આ દરખાસ્ત બાબતમાં માર્ગ-મકાન વિભાગ (રાજય), સીટી સર્વે, પોલીસ વિભાગ, મામલતદારશ્રી તથા પ્રાંત ઓફિસનો અભિપ્રાય લેવામાં આવેલ. આ બધા ડીપાર્ટમેન્ટ દ્વારા હકારાત્મક અભિપ્રાય આવતાં પ મીટર* ૬૦મીટરના જમીનના પટાની (કુલ-૩૦૦ચો.મી.) કિમંત રૂ. ૧૦,૧૨૦/- પ્રતિ ચોરસ મીટર નકકી કરવામાં આવી. બધાંજ વિભાગોના પોઝીટીવ અભિપ્રાયોના આધારે જીલ્લા કલેકટરશ્રીએ પોતે પણ પોતાના પોઝીટીવ અભિપ્રાય સાથે આ અંગેની દરખાસ્ત સરકારશ્રીના મહેસૂલ વિભાગમાં પત્ર નં. જાન/વિ/જમન/૧/વશી/૧૦૩૫૯/૧૯ થી તા. ૨૩/૮/૨૦૧૯ના રોજ સબમીટ કરેલ. આમ કેબીનધારકોને પાકી દુકાન આપવા માટે સરકારના તમામ વિભાગો અને જીલ્લા કલેકટરશ્રીનો અભિપ્રાય પોઝીટીવ હતો. ત્યારબાદ નગરપાલિકાએ તા. ૨૭/૧/ર૦ર૦ના રોજ પાકી દુકાનોના બાંધકામ માટે સ્વેચ્છાએ પોતાની કેબીનો હટાવી લેવા કેબીનધારકોને સૂચના આપી. ન.પાલિકાએ ત્યારબાદ, તા. ૨૪/ર/ર૦૨ર૦ના રોજ ઠરાવ કર્યો, જેની વિગત પ્રમાણે દરેક કેબીનધારકને ૨.૩૬ મીટર *  ૩.૯૮ મીટર - ૯.૩૫ ચો.મી. જમીન ફાળવવાનું નકકી કર્યું. એટલું જ નહીં પણ દરેક કેબીન ધારકે ન.પાલિકામાંથી મેળવેલ માપ-નકશા અને ડીઝાઈન પ્રમાણે પોતાના ખર્ચે બાંધકામ કરવાનું નકકી કરવામાં આવ્યું.

 ન.પાલિકાના ઠરાવ અને સુચના મુજબ આ બધા કેબીનધારકો દ્વારા સંયુકત રીતે, એક સરખા માપ-સાઈઝ અને ડીઝાઈનનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું  આ બાંધકામમાં અડચણરૂપ વીજ થાંભલાઓનેભ્ઞ્સ્ઘ્ન્ દ્વારા હટાવવામાં આવ્યાં. શિવાજી ચોકમાં લગાડાયેલ ઘ્ઘ્વ્સ્   કેમેરાનું સ્થળ પણ પોલીસ તંત્રે સહકાર આપી ફેરવી દીધું. દુકાનોમાં અડચણરૂપ વૃક્ષોને કાપવાની મંજુરી પણ વનખાતાએ આપીને સહકાર આપ્યો. આમ, સરકારશ્રીના બધાંજ વિભાગોનો અભિપ્રાય જ હકારાત્મક હતો એટલુંજ નહિં પણ દુકાનોના બાંધકામમાં આવતાં અડચણરૂપ સ્ટ્રકર હટાવવામાં પણ આ સરકારી તંત્રો સાથે રહયા. જેશીંગપરાનો શિવાજી ચોક ટ્રાફીક અને લોકોની અવર જવરથી ર૪ કલાક ધમધમતો ચોક છે. લોકડાઉનના કારણે વચ્ચેના સમયમાં ૩ મહિના બાંધકામ બંધ રહેતાં, દુકાનો બંધાતા ૧ વર્ષથી પણ વધારે સમય લાગ્યો છતાં, તંત્રે કોઈપણ જાતની દખલગીરી કરી નહિં. ૧ વર્ષ કરતાં પણ વધુ સમય બાંધકામમાં ગયા પછી આ બધી દુકાનો શરૂ થઈ ગઈ તેને પણ ૪-૫ મહિના નીકળી ગયા છે. એક દુકાનમાં ભાજપની સ્થાનિક ઓફિસ શરૂ કરવામાં આવી છે જેનું ઉદ્ઘાટન પણ કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ઈરાની દ્વારા કરવામાં આવેલ. અને ત્યારબાદ તંત્ર એકાએક હરકતમાં આવી ગયું. જે કેબીનધારકો ન્યાય માટે હાઈકોર્ટમાં રપ વર્ષ લડયા, જેમને દુકાનો માટે જમીન મળવી જોઈએ તેવુ અમરેલી નગરપાલિકાએ જનરલ બોર્ડમાં ઠરાવ કરી નકકી કર્યું અને જેને માટે સરકારશ્રીના તમામ સંલગ્ન ડીપાર્ટમેન્ટ અને જીલ્લા કલેકટરશ્રીના પોઝીટીવ અભિપ્રાય સાથે સરકારમાં દરખાસ્ત કરાયેલ તે કેબીનધારકો પર ''લેન્ડ ગ્રેબીંગ એકટ'' લાગુ પાડવામાં આવ્યો છે.

 આ ઘોર અને હળાહળ અન્યાય છે. ૪૦ વર્ષથી કાચી-પાકી કેબીનો સાથે ધંધો કરતાં હતા તે ''લેન્ડ ગ્રેબીંગ'' નહિં અને ય્ય્સ્ સ્ટ્રકચર ઉભં કર્યું એટલે લેન્ડ ગ્રેબીંગ ! આ ક્યાંનો ન્યાય !! એક બાજુ સરકાર ગરીબોને આવાસ માટે મફત પ્લોટ ફાળવે છે ત્યારે ચાલીસ-ચાલીસ વર્ષોથી કેબીનોમાં ધંધો કરી પેટીયું રળતાં ગરીબ કેબીન ધારકો માથે લેન્ડ ગ્રેબીંગ કાયદો લાગું પાડવામાં, ''ચીભડાના ચોરને ફાંસીની સજા'' જેવો ઘાટ થયો છે. પત્રના અંતમાં ડો. કાનાબારે મહેસુલ ખાતા દ્વારા આ જમીન ન.પાલિકાને ફાળવવા અને ત્યારબાદ ન.પાલિકા દ્વારા આ દુકાનધારકોને ફાળવી તેમને થતાં ઘોર અન્યાયને રોકવા,  વિજયભાઈ રૂપાણીને નમ્ર વિનંતી કરી છે.

(11:44 am IST)