Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

મોરબી માર્કેટીંગ યાર્ડ આગામી 9 દિવસ બંધ રહેશે

માર્કેટીંગ યાર્ડ કમિશન એજન્ટ એસો, દ્વારા માર્ચ એન્ડિંગને કારણે યાર્ડ 9 દિવસ બંધ રાખવા નિર્ણય : 2 એપ્રિલથી યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે.

મોરબી માર્કેટીંગ યાર્ડ આગામી 9 દિવસ બંધ રહેશે. મોરબી માર્કેટીંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા મોરબી માર્કેટીંગ યાર્ડ આગામી 9 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માર્કેટીંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે 24 માર્ચથી 1 એપ્રિલ સુધી મોરબી માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે અને 2 એપ્રિલથી યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે.

મોરબી માર્કેટિંગ યાર્ડ માર્ચ એન્ડિંગને કારણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માર્ચ એન્ડિંગ હોવાથી રાજ્યનાં અન્ય ઘમાં માર્કેટ યાર્ડ પણ આ રીતે બંધ રાખવાનો નિર્ણય જે તે માર્કેટ યાર્ડ કમિટી દ્વારા લેવામાં આવ્યો છે.

આ પહેલાં આ કારણસર જ મહેસાણા જિલ્લાના ઉંઝામાં આવેલું માર્કેટ યાર્ડ 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ઉંઝા માર્કેટ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે. રોજના હજારો લોકોની અવરજવર ધરાવતું એશિયાનું આ સૌથી મોટું માર્કેટ 8 દિવસ માટે બંધ રહેશે. ઉંઝા એપીએમસી દ્વારા ઊંઝા ગંજબજાર 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે

  25 માર્ચ, 2021થી 1 એપ્રિલ, 2021 સુધી એમ કુલ 8 દિવસ માટે માર્કેટયાર્ડ બંધ રહેશે. ઉંઝા એપીએમસી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે માર્ચ એન્ડિંગમાં વેપારીઓને પોતાના હિસાબો કરી શકે તે માટે ઉંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઊંઝા વેપારી એસોસિએશનની રજૂઆતના પગલે ઉંઝા એપીએમસી દ્વારા ઉંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.

(11:59 am IST)