Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

કોરોનાનાં કેસ વધતા જુનાગઢમાં ફરી આઇએએસ મનીષ ભારદ્વાજની નિમણુંક

તંત્રની કામગીરીનાં સંદર્ભમાં માર્ગદર્શન આપશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર :   કોરોનાના કેસ વધતા જુનાગઢમાં ફરી ગાંધીનગર ખાતેથી આઇએએસ મનીષ ભારદ્વાજને મુકવામાં આવ્‍યા છે.

જુનાગઢના કલેકટર તરીકે રહી ચુકેલા મનીષ ભારદ્વાજ તંત્રને કોરોના સંક્રમણ અટકાવવા જરૂરી મર્ગાદર્શન આપશે તેમજ જિલ્લાની મુલાકાત લેવા ઉપરાંત કોવિડ વેકસીનની કામગીરીની  સમીક્ષા સહિતની કામગીરી કરશે.

શ્રી ભારદ્વાજ અન્‍ય આનુષાંગિક કામગીરી તાત્‍કાલીક અસરથી અગ્રતાનાં ધોરણે કરવા સુચના આપશે.

દરમિયાન જુનાગઢ જિલ્લામાં વધુ ૯ નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં ૮ કેસ માત્ર જુનાગઢ સીટીના અને એક કેસ માંગરોળના બીજી તરફ ગઇકાલે જુનાગઢ શહેરના વધુ ૬ કોરોના દર્દી સ્‍વસ્‍થય થતાં તેમને હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ કરવામાં આવ્‍યા હતા.

 

(12:59 pm IST)