Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

જેતલસરનાં નવી-જુની સાંકળીમાં સૃષ્ટિને શ્રધ્ધાંજલિ અપાઇ

જેતલસર : જેતલસરની દીકરી સૃષ્ટિની હત્યાના પટેલ સમાજમાં ઘેરા પડઘા પડયા છે. સૌરાષ્ટ્રભરમાં આ ઘટનાને લઇને આક્રોશ વ્યકત કરાય છે. રોજ ઠેકઠેકાણે શ્રધ્ધાંજલી અપાઇ હતી. સૃષ્ટિ રૈયાણી હત્યા કેસના આરોપી જયેશ ગીરધર સરવૈયા પોલીસ રીમાન્ડ હેઠળ છે. રીમાન્ડના ત્રીજા દિવસે જયેશ કઇ બોલ્યો ન હોવાનું તેમજ તપાસ ચાલુ હોવાનું રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા તેમજ જેતપુર તાલુકા પીએસઆઇ પી. જે. બાટવાએ જણાવ્યું હતું. (તસ્વીર - અહેવાલ : કુલદિપ જોષી -જેતલસર)

(1:02 pm IST)