Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

જેતલસરમાં સૃષ્‍ટીની હત્‍યા કરનાર જયેશ સરવૈયા બુધવાર સુધી રિમાન્‍ડ ઉપર

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. રર :.. તાલુકાના જેતલસર ગામે બનેલ બનાવના સૌરાષ્‍ટ્રભરમાં પડઘા પડયા હોય સૃષ્‍ટીને ન્‍યાય અપાવવા ઠેરઠેર કેન્‍ડલમાં તેમજ આવેદન પત્રો પાઠવી રહ્યા છે. સૃષ્‍ટીના પરિવારને શાંતવના પાઠવવા આજે ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ સી. આર. પાટીલ સહિતના જેતલસર આવેલ છે.

તાલુકાના જેતલસર ગામે એક તરફી પ્રેમમાં અંધ બનેલ નરાધમ જયેશ સરવૈયાએ શ્રમીક પરિવારની સૃષ્‍ટીને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતરી તેમજ તેના ભાઇ હર્ષ ઉપર પણ છરી વડે હીચકારો હુમલો કરેલ આ બનાવમાં તાલુકા પોલીસે પહેલેથી જ સર્તકતા દાખવી આરોપી જયેશને દબોચી લઇ તમામ કાયદાકીય કાર્યવાહી  ચુસ્‍ત રીતે કરેલ તેમાં ૧ર દિવસમાં રીમાન્‍ડ પણ માંગેલ તેમાં કોર્ટે ૬ દિવસના એટલે કે ર૪ તારીખ સુધીના રીમાન્‍ડ મંજૂર કરેલ છે.

(1:06 pm IST)