Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

જેતલસરનાં સૃષ્ટીના પરિવારને હાર્દિક પટેલ-રેશ્મા પટેલ સાંત્વના પાઠવશે

મૃતકના પરિવારને ચેક અર્પણ કરશેઃ ન્યાય માટે સરકાર સમક્ષ માંગણી કરશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૨૨ :. સૌરાષ્ટ્રભરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલ જેતપુરની ઘટનાના પગલે હાર્દિક પટેલ સહિતના આજે સાંજે ૪ વાગ્યે સૃષ્ટીના પરિવારને સાંત્વના આપવા તેમજ આર્થિક સહાય માટે ચેક અર્પણ કરશે.

જેતલસરના શ્રમીક પરિવાર કિશોરભાઈ રૈયાણીની વ્હાલસોય દિકરીને આજ ગામમાં રહેતા નરાધમ જયેશ સરવૈયાએ એક તરફી પ્રેમમાં લગ્ન માટે રાજી ન થતા સૃષ્ટીને નિર્દયીતાથી છરીના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરેલ. સૃષ્ટીનો પરિવાર ભાંગી પડયો છે.

કેમ કે એકની એક માસુમ દિકરીને મોતના ઘાટ ઉતારી દેવામાં આવી હોય તેમજ પુત્ર ઉપર ઘાતકીય હુમલો કરતા તે પણ હોસ્પીટલમાં સારવારમાં હોય પરિવારને સધીયારો મળી રહે તે માટે સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો સહિતના સાંત્વના પાઠવી રહ્યા છે.

ત્યારે આજે સાંજે ૪ કલાકે હાર્દિક પટેલ, રેશ્મા પટેલ, લલીતભાઈ કરગથરા સહિતના જેતલસર ગામે આવશે અને હાર્દિક પટેલના હસ્તે સૃષ્ટીના પરિવારને ચેક અર્પણ કરવામાં આવશે તેમ સ્થાનિક આગેવાનોે જણાવે છે.

(1:41 pm IST)