Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ભાવનગરમા ૩૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨૩ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૫૭૩ કેસો પૈકી ૨૧૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર :ભાવનગર જિલ્લામા આજરોજ ૩૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૫૭૩ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૩ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ ૨૩ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં તળાજા તાલુકાનાં બોરડા ગામ ખાતે ૧, મહુવા ખાતે ૨, તળાજા ખાતે ૨, તળાજા તાલુકાનાં તખતગઢ ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧ તેમજ સિહોર તાલુકાનાં સોનગઢ ગામ ખાતે ૨ કેસ મળી કુલ ૯ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧૬ તેમજ તાલુકાઓમાં ૭ કેસ મળી કુલ ૨૩ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૬,૫૭૩ કેસ પૈકી હાલ ૨૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(8:21 pm IST)