Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે છરીના ઘા ઝીકી અજીત પરમારની હત્યા

અજાણ્યા શખ્સોએ હુમલો કરતા હુસેન નામના વ્યક્તિને ગંભીર ઇજા : સારવાર માટે રાજકોટ ખસેડાયો

મોરબી સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે આવેલ એસ્સાર પેટ્રોલ પમ્પ પાસે યુવાનની હત્યા થઇ છે જાણવા મળ્યા મુજબ અજાણ્યા શખસો દ્વારા છરી ના ઘા ઝીંકી હત્યા યુવકની હત્યા નિપજાવી છે

 વધુમાં મળતી વિગત મુજબ વાંકારવાસમાં રહેતા અજિત પરમાર નામના યુવાનની હત્યા થઈ અને હુસેન નામના એક વ્યક્તિ ને ગંભીર ઈજા સારવાર માટે રાજકોટ ખસેડાયો છે

 શા માટે હત્યા કરવામાં આવી તે હજુ સ્પષ્ટ રીતે બહાર નથી આવ્યું હાલ પોલીસ ખાફ્લો ઘટના સ્થળે છે અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે

(12:43 am IST)