Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

જામનગરની ૪૫૦ જેટલી શાળાઓમાં ધોરણ ૭ની બે દિવસની પરીક્ષા રદ્દ કરાઇ

(મુકુંદ બદિયાણી દ્વારા) તા. ૨૨ : ભાવનગરના તળાજા તાલુકાની નેશવડ પ્રાથમિક શાળામાં પ્રશ્નપત્રની ચોરી થતાં પેપર ફૂટ્‍યાની ઘટનાને લઇને સમગ્ર ગુજરાતમાં ધોરણ ૭ની બે દિવસ માટે પરીક્ષા રદ કરવામાં આવ્‍યા છે.  જામનગરમાં પણ સમગ્ર ગુજરાતની સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૪૬ શાળાઓ ઉપરાંત જિલ્લાની ૪૫૦ જેટલી શાળાના વિદ્યાર્થીઓની ચાલી રહેલી પરીક્ષા રદ કરવામાં આવી છે. ૨૨ અને ૨૩ એપ્રિલના વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના બંને પેપર રદ્‌ થતાં વિદ્યાર્થીઓમાં પણ ભારોભાર નારાજગી જોવા મળી રહી છે.(તસ્‍વીરો : કિંજલ કારસરીયા, જામનગર)

 

(11:54 am IST)