Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

કેશોદમાં જુનાગઢ જિલ્લા બેઠક સંપન્‍ન

 

 (કિશોર દેવાણી દ્વારા) કેશોદ,તા.૨૨ : વિશ્વ હિન્‍દુ પરિષદ વિભાગ ની જિલ્લા બેઠક કેશોદના ન્‍યુ એરા પ્રોફેસર એકેડમી સ્‍કૂલ -કેશોદ ખાતે તાજેતરમાં યોજાયગઈ જેમાં જૂનાગઢ-પોરબંદર-વેરાવળ -ઉનાના  હોદેદારો ઉપસ્‍થિત રહ્યા હતા.જેમાં બેઠક ના અધ્‍યક્ષ સ્‍થાને કેન્‍દ્રીય મંત્રી વિ.હિ.પ.ના શ્રી દેવજીભાઈ રાવત તથા કિરીટભાઇ મિષાી સૌરાષ્‍ટ્ર પ્રાંત સંગઠન મંત્રી તથા ભુપેન્‍દ્રભાઈ વિઠલાણી-વિભાગ અધ્‍યક્ષ તથા સંદીપભાઈ કોટેચા -જુનાગઢ નગર કાર્ય અધ્‍યક્ષ તથા રામજીભાઈ પરમાર -સોમનાથ જિલ્લા અધ્‍યક્ષ સ્‍થાને રહેલા હતા.

 આ બેઠકનો ઉદ્દેશ્‍ય સમરસતા અભિયાન સાથે દરેક હિન્‍દૂ સમાજ ને સાથે જોડી ચાલવું છૂત-અછૂત ને દૂર કરી સર્વે સમાજ સાથે મળી હિન્‍દૂ રાષ્‍ટ્ર બને તે માટે માહિતી આપેલ અને જે ટુક સમયમાં રામ જન્‍મોત્‍સવ તથા હનુમાન જન્‍મોત્‍સવ-બાબા સાહેબ આંબેડકર જયંતિ ઉજવાયેલ તેમની શુભેચ્‍છા પાઠવેલ અને આજ રીતે હિન્‍દુઓના તમામ તહેવારો ઉજવાતા રહે તે માટે પે્રરિત કરેલ હતા.

    આ બેઠક માં પધારેલા મહાનુભવોનું સ્‍વાગત વિશાલભાઈ સોલંકી વિ.હિ. પ્રમુખ તથા તા. પ્રમુખ -લખનભાઈ કામરીયા, મેહુલભાઈ ગોંડલિયા -પૂર્વપ્રમુખ વિ.હિ.પ., મહેશભાઈ પાનસેરીયા  મહામંત્રી વિ.હિ.પ.,રાકેશભાઈ ચુડાસમા-બજરંગદળ  પ્રમુખ અને અન્‍ય હોદેદારો એ રામ દરબાર આપી શ્રી દેવજીભાઈ રાવત નું સન્‍માન કરેલ હતું.

 આ બેઠકમાં  અશ્વિન સિંહ રાયજાદા, દિનેશભાઇ પરમાર,  વિઠ્ઠલભાઈ ડોબરિયા,  પ્રોફેસર પ્રવીણભાઈ ગજેરા, દિનેશભાઇ કાનાબાર, રમેશભાઇ રતનધાયરા, હમીરભાઈ ભેડા અને અન્‍ય નામાંકિત આગેવાનો ઉપસ્‍થિત રહેલા હતા.

(2:36 pm IST)