Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

પોરબંદરના માથાભારે ૩ શખ્‍સોની ‘‘પાસા'' હેઠળ ધરપકડો : જેલ હવાલે

પોરબંદર, તા. રર :  માથાભારે ગણાતા ૩ શખ્‍સોની ‘‘પાસા'' વોરન્‍ટના આધારે એલ.સી.બી. એ ધરપકડો કરી છે. ત્રણેય આરોપીઓને અનુક્રમે અમદાવાદ વડોદરા અને સુરત જેલ હવાલે કરેલ છે. 

જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનિન્‍દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની નાઓની સીધી સુચના અન્‍વયે પોરબંદર જિલ્લામાં અસામાજીક પ્રવળત્તિ સાથે સંકળાયેલ ઇસમોની પાસા હેઠળના અટકાયતી પગલા લેવા જણાવેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર શહેર નાઓના માર્ગદર્શન હેઠળ (૧) કીર્તિમંદિર  પો.સ્‍ટે. ગુ.ર.ન. પાર્ટ એ ૦૧૯૬/૨૧ આઇ.પી.સી. કલમ- ૪૨૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૧૧૪, વિગેરે મુજબના ગુન્‍હામાં સંડોવાયેલ આરોપીઓ (૧) રાણા પરબતભાઇ પરમાર ઉ.વ.૨૨ રહે. બોખીરા  (૨) વિશાલ ઉર્ફે વાકીડોક નાગાજણભાઇ ગોરાણીયા ઉ.વ.૨૧ રહે. આશાપુરા ચોક  (૩) દેવા ગગુભાઇ ભુતિયા ઉ.વ.૨૫ રહે. ઉદ્યોગનગર આશાપુરા ચોક વિરૂધ્‍ધમા કીર્તિમંદિર પો.સ્‍ટે.ના પી.આઇ.શ્રી ડી.બી.રાઠોડ તથા એલ.સી.બી.પી. એસ.આઇ. એન.એમ.ગઢવી  નાઓએ પાસા દરખાસ્‍ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્‍ટ્રેટ તરફ મોકલતા ઇન્‍ચાર્જ જિલ્લા મેજીસ્‍ટ્રેટ શ્રી.વી.કે.અડવાણી દ્વારા આ સામાવાળાને પાસા હેઠળ અમદાવાદ, વડોદરા, સુરત જેલમાં અટકાયતમા રહેવા પાસા વોરન્‍ટ ઇસ્‍યુ કરતા એલ.સી.બી. પી.એસ.આઇ. એન.એમ.ગઢવી એ સામાવાળાઓને પાસા વોરંટની બજવણી કરી મધ્‍યસ્‍થ જેલ અમદાવાદ, વડોદરા, સુરત ખાતે મોકલી આપેલ છે.    

 આ કામગીરી કરનાર આધિકારી/કર્મચારી  પોરબંદર પી.આઇ.  ડી.બી.રાડોડ, એલ.સી.બી.પી.એસ.આઇ. એન.એમ.ગઢવી, એ.એસ.આઇ. જગમાલભાઇ વરૂ મહિલા હેડ કોન્‍સ્‍ટેબલ રૂપલબેન લખધીર તથા,  હેડ કોન્‍સ્‍ટેબલ હરદાશભાઇ મ્‍યાજરભાઇ, વિપુલ રાયસીંગભાઇ, નાઓ રોકાયેલ હતા.

(2:39 pm IST)