Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

ધોરાજી માનવ સેવા યુવક મંડળને ૩ર મું ચક્ષુદાન મળ્‍યું: ૬૪ લોકોના જીવમાં અજવાળા પથરાયા

ધોરાજી, તા., ૨૨: સેવાભાવી  પ્રવીણભાઇ મગનભાઇ માવાણી (ઉ.વ.પ૪) રહે. ધોરાજીવાળાનું અવસાન થતા તેમના પુત્ર અને પરીવારજનોએ માનવ સેવા યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા અને સાગર સોલંકીને ચક્ષુદાન કરવા અંગે જાણ કરતા ધોરાજીની સરકારી હોસ્‍પીટલ ખાતે ડો.જયેશ વેસેટીયન ડો.પાર્થ મેઘેનાથી નીતીન સાગઠીયા રોહીત સોંદરવા સહીતની મેડીકલ ટીમે સ્‍વ.પ્રવીણભાઇના ચક્ષુદાનમાં સેવાઓ બજાવી આતે ડેનીસ માવાણી, મગનભાઇ ઉસડદીયા, સ્‍વેત માવાણી, દિનેશભાઇ માવાણી, કિશોરભાઇ રાબડીયા સહીતના હાજર રહેલ આ તકે માનવ સેવા યુવક મંડળના ભોલાભાઇ સોલંકી અને ધર્મેન્‍દ્ર બાબરીયાએ માવાણી પરીવારની સેવાઓને બિરદાવી સ્‍વ. પ્રવીણભાઇને શ્રધ્‍ધાંજલી અર્પણ કરેલ આ તકે માનવ સેવા યુવક મંડળ દ્વારા જણાવેલ કે મૃત્‍યુ સમયે અમોને ચક્ષુદાન અંગે જાણ કરવી જેથી અન્‍યના જીવનમાં નવી રોશની આવે આ અંગે માનવ સેવાના ફોન નં. ૯૮૯૮૭૦૧૭૭૪ , ૯૮૯૮૭ ૧પ૭૭પ ઉપર જાણ કરવા જણાવ્‍યું છે.

(1:14 pm IST)