Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

લાં...બા સમય પછી કોરોનાએ બાળાનો ભોગ લેતા અરેરાટી : બાળાના પિતાનો રિપોર્ટ પણ પોઝિટિવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૨ : જામનગરમાં કોરોનાથી છ વર્ષની બાળકીનું મૃત્‍યુ નિપજયું છે. કોરોનાના કેશો ઓછા થયા બાદ ફરી એકવાર કોરોનાએ જામનગરમાં માથુ ઉચક્‍યું છે. ત્‍યારે ગુલાબ નગર વિસ્‍તારના પરિવારની માત્ર છ વર્ષની બાળકીને કોરોના થયો હતો.
સામાન્‍ય તાવ શરદી-ઉધરસના લક્ષણો જણાયા બાદ તેઓને સારવાર માટે જી.જી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. જયાં બે દિવસની સારવાર દરમ્‍યાન જ તેનું મૃત્‍યુ નીપજયું છે. બાળકી નો રિપોર્ટ પોઝિટિવ આવતા જ તેના પરિવારના પણ કોરોના સેમ્‍પલ કરાયા હતા. જેમાં બાળકીના પિતાને પણ કોરોના પોઝિટિવ આવ્‍યો છે અને હાલ તેઓ હોમ આઇશોલેટ કરવામાં આવ્‍યા છે.
હાલ કોરોના એ દેખા દીધી છે ત્‍યારે જ બાળકીનું કયા કોરોનાના વોરિયન્‍ટથી મૃત્‍યુ નિપજયું છે તે અંગે સેમ્‍પલ જીનોમસિકવનસિંગમાટે મોકલી આપવામાં આવ્‍યા છે.
કોરોનાએ દેખા દેતા જ ફરી એકવાર જામનગર મહાનગરપાલિકાના આરોગ્‍ય તંત્ર પણ સજાગ બન્‍યું છે અને મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીની સૂચનાથી સમગ્ર વિસ્‍તારમાં તમામ પ્રિકોશનના પગલા લેવાઈ રહ્યા છે.

 

(1:30 pm IST)