Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

ડ્રગ્‍સ પ્રકરણમાં આરોપીના રિમાન્‍ડ નામંજૂર કરતી ખંભાળિયાની સેસન્‍સ કોર્ટ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.રર : અમદાવાદ નાર્કોટિકસ કંટ્રોલ બ્‍યુરો (એન.સી.બી.) ઝોનલ, યુનિટ ગુજરાત રાજય દ્વારા એસ.ઓ.જી. ખંભાળિયા પાસેથી કબજો લઇ તા.૩-ર-ર૦રરના  રોજ તપાસ સંભાળતા આ એન.ડી.પી.એસ. કેસમાં કુલ ચાર આરોપીઓને રીમાન્‍ડ માટે રજુ કર્યા હતા.
જેમાં સજાદ સીકંદર બાબુ ધાચી, રે. મુંબઇ, સલીમ યાકુબ કારા, અસગર યાકુબ કારા, રે. સલાયા, ચિજિયોકે એમોસ પોલ રે. દિલ્‍હી વાળાઓને આજરોજ નામદાર સેશન્‍સ કોર્ટમાં દિવસ -૧૦ના રીમાન્‍ડ સાથે અમદાવાદ નાર્કોટીકસ કંટ્રોલ બ્‍યુરો દ્વારા ખંભાળિયાની સેસન્‍સ કોર્ટમાં જુદા જુદા કારણોસર આરોપીઓના દિવસ-૧૦ના રિમાન્‍ડ માંગેલ જેમાં આરોપીઓ તરફ વિ. વ. ધીરેન વી. સાયાણીની દલીલો ધ્‍યાને લઇ તમામ આરોપીઓની રીમાન્‍ડ અરજી નામંજુર કરેલ. આરોપીઓ તરફે વકીલ ધીરેન વી.સાયાણી રોકાયેલા હતા.

 

(2:33 pm IST)