Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

અમરેલી જીલ્લામાં ‘‘આપ'' દ્વારા લોકપ્રશ્નોને વાચા આપવા જનસંવાદ કાર્યક્રમ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. રર : આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત જનસંવાદ કાર્યક્રમ અમરેલી જિલ્લામાં પણ યોજાશે જેમાં આમ આદમી પાર્ટી દ્વારા જનતાની સામાજિક સમસ્‍યાઓ જેવી કે મોંઘવારી,બેરોજગારી આરોગ્‍ય વિષયક, શૈક્ષણિક, ખેડૂતોના પ્રશ્નો,નાના મોટા ઉદ્યોગોને લગતા પ્રશ્નો તેમજ શ્રમિકો અને પછાત વર્ગના વણ ઉકેલ પ્રશ્નોના લીધે અમરેલી જીલ્લો વર્ષોથી ગુજરાતના અન્‍ય જિલ્લા કરતા પછાત જિલ્લા તરીકેની છાપ ધરાવે છે, જેથી આમ જનતાનો અવાજ બનવા માટે આમ આદમી પાર્ટીએ બીડું ઝડપ્‍યું છે.

જે અનુસંધાને અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભામાં ઙ્કજનસંવાદઙ્ઘ કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં આપના પ્રશ્નોને બુલંદ અવાજથી વાચા આપવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલભાઈ ઇટાલીયા અને સુરત મ્‍યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શ્રી ધર્મેશભાઈ ભંડેરી અને અન્‍ય આગેવાનોની ઉપસ્‍થિતિમાં યોજાશે.

અમરેલી જિલ્લાનો વિધાનસભા વાઈઝ કાર્યક્રમ નીચે મુજબ છે.

૧.સાવરકુંડલાઃ- તા.૨૨-૪-૨૨ ને શુક્રવાર,સમયઃ-સાંજના ૬.૦૦ કલાકે, સ્‍થળઃ- શિવાજીનગર પટેલવાડી જેસર રોડ સાવરકુંડલા.

૨.રાજુલાઃ તા.૨૩-૪-૨૨ ને શનિવાર રાત્રે ૮.૩૦ કલાકે, સ્‍થળઃ- લુહાર જ્ઞાતિની વાડી, સ્‍વામિનારાયણ મંદિરની બાજુમાં, રાજુલા.

૩.ધારી બગસરા- તા.૨૪-૪-૨૨ ને રવિવાર સમય સાંજના ૬.૦૦ કલાકે, સ્‍થળઃ-ગોકળપરા પટેલ વાડી, બગસરા.

૪.અમરેલી-તા.૨૪-૪-૨૨ ને રવિવાર,સમયઃ-રાત્રે ૮.૩૦ કલાકે, સ્‍થળઃ-જુના માર્કેટ યાર્ડ અમરેલી.

૫.બાબરા લાઠીઃ-તા.૨૫-૪-૨૨ ને સોમવાર,સમય- સાંજે ૬:૦૦ કલાકે, સ્‍થળ- કડવા પટેલ સમાજની વાડી પોલીસ સ્‍ટેશનની સામે, લાઠી.

આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પ્રભારીશ્રી શરદભાઇ લાખાણી, જિલ્લા પ્રમુખશ્રી નિકુંજભાઈ સાવલિયા,૯૫-વિધાનસભાના પ્રભારીશ્રી રવિભાઈ ધાનાણી,૯૪-વિધાનસભાના પ્રભારીશ્રી રાહુલભાઈ હરખાણી,૯૮-વિધાનસભાના પ્રભારીશ્રી ભરતભાઈ બલદાણીયા, જિલ્લા મહિલા પ્રમુખ કિરણબેન ઉકાણી,ચેતનાબેન સેંજળીયા,રાધિકાબેન મકવાણા, વૈશાલીબેન બાજરીયા, કવિતાબેન પરમાર,નીતાબેન માલાણી,સુખાભાઈ વાળા,સુરેશભાઈ વાવીયા,ડાઙ્ઘ.પ્રોફેસર મયુરભાઈ ગોંડલીયા, જુણેજાભાઈ,ઉપેન્‍દ્રભાઈ વાળા, લતીફખાન હસવાની, જયસુખભાઇ પાંચાણી, જીતુભાઈ ગજેરા, આતુભાઇ શિયાળ, પરેશભાઈ માલવિયા, પારૂલબેન હરેશભાઈ દોંગા, આશાબેન ચૌહાણ, વિમળાબેન કિશોરભાઈ વાળા,રમણીકભાઈ બાલધા, સવજીભાઈ પરમાર, શૈલેષભાઈ ભાદાણી, જયદીપભાઇ પાંચાણી, મિલનભાઈ સાવલીયા, ભરતભાઈ બારોટ, ઘનશ્‍યામભાઈ ગેવરીયા, કમલેશભાઈ બાજરીયા, ભરતભાઈ નાકરાણી, હિતેશભાઈ સુખડિયા, પ્રતિકભાઇ સાયજા, ભરતભાઈ કેરાસીયા, કિશોરભાઈ રાદડિયા, કૌશિકભાઈ ભરાડ, હિતેશભાઈ વિરાણી, જગદીશભાઈ ગોંડલિયા,એક્‍સ આર્મી સંગઠન જિલ્લા પ્રમુખ વિનુભાઈ જાવિયા,વિપુલભાઈ વિરાણી,અનુપભાઈ ભરખડા,બળવંતભાઈ મકવાણા, ભાવેશભાઈ સોલડીયા,રાજુભાઈ તેરૈયા,મનીષભાઈ શેલડીયા, પરસોતમભાઈ બારૈયા સહિતના આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી વિચારો ધરાવતા અને જનતાના પ્રશ્નો માટે હંમેશ માટે લડતા યોદ્ધાઓ આ જનસંવાદ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના દરેક નાગરીકોને ઉપસ્‍થિત રહેવા આહવાન કરે છે.. આમ અમરેલી જિલ્લા મિડિયા સેલ પ્રમુખ ભાર્ગવભાઈ મહેતાની યાદીમાં જણાવાયું છે.

(1:38 pm IST)