Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

જામકંડોરણામાં ૨ અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ

રમેશભાઇ ધડુક, જયેશભાઇ રાદડિયા સહિતના ઉપસ્થિત રહેશે

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૨૨: પોરબંદર લોકસભા મત ક્ષેત્રમાં જાગૃત સાંસદ રમેશભાઈ ધડુક એ પ્રજાના સુખાકારી માટે હાલમાં કોરોના મહામારીના સમયમાં એમ્બ્યુલસનિ ઘટ ઊભી થઈ ત્યારે પ્રજાની વહારે આવી તમામ તાલુકા મથકે અદ્યતન સુવિધા ધરાવતી અંદાજે ૧૯ લાખ રૂપિયાની કિંમતની એમ્બ્યુલન્સ મોટાભાગના તાલુકામાં આપી દીધી છે ત્યારે આજરોજ ધોરાજી તેમજ જામકંડોરણાને પણ બે એમ્બ્યુલન્સ અંદાજે રૂપિયા ૧૯ લાખની કિંમતની આપવામાં આવી છે જેનો લોકાર્પણ થવાનું છે જેમાં રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકના હસ્તે બંને એમ્બ્યુલન્સને લોક સુવિધા માટે ખુલ્લી મુકવામાં આવશે આ સમયે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા જીલ્લા મહામંત્રી મનિષભાઇ ચાંગેલા રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા જામ કંડોરણા તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ માર્કેટીંગ યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઈ બોદર જીલ્લા મહામંત્રી obc કિશોરભાઈ રાઠોડ વિપુલભાઈ બાલધા ગોપાલભાઈ અકબરી જીતુભાઈ ગોંડલીયા અગ્રણીઓ જામકંડોરણા ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરશે

જયારે ધોરાજી ખાતે ધોરાજી નગરપાલિકા કચેરી ગ્રાઉન્ડ ખાતે કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા મહામંત્રી મનીષભાઈ ચાંગેલા ધોરાજી નગરપાલિકાના પ્રમુખ અંજનાબેન ભાષા ચીફ ઓફિસર મનન ચતુર્વેદી પ્રદેશ ભાજપના અગ્રણી વી ડી પટેલ જિલ્લા મંત્રી હરસુખભાઈ ટોપિયા જીલ્લા મહામંત્રી (obc) કિશોરભાઈ રાઠોડ ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા મહામંત્રી વિજય ભાઈ બાબરીયા મહામંત્રી મનીષભાઈ કંડોલીયા ઉપપ્રમુખ વિજયભાઈ અંટાળા મંત્રી ધીરુભાઈ કોયાણી મનસુખભાઈ ભાજપ તેમજ ધોરાજી નગરપાલિકાના સુધરાઇ સભ્ય વિરોધ પક્ષ નેતા પરેશ વાગડીયા મનસુખભાઈ સોલંકી મકબુલ ભાઈ ગરાણા દિનેશભાઈ વોરા દિલીપભાઈ જાગાણી ગોપાલભાઈ કોયાણી કિશોરભાઈ વઘાસિયા વિગેરે સભ્યો ઉપસ્થિત રહેશે.

(11:37 am IST)