Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

વિજયભાઈ રૂપાણી મહુવા તાલુકાના વાવાઝોડાગ્રસ્ત પધીયારકા ગામની મુલાકાતે

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકામાં તોઉતે વાવઝોડા બાદ જાત મુલાકાત લઇ થયેલા નુકસાનનો અંદાજ – ગામની સ્થિતિ નિયંત્રણની કામગીરીનું નિરિક્ષણ કરવાં માટે આજે મહુવા હેલીપેડ પર આવી પહોંચતાં તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યમાં તાઉ' તે વાવઝોડાને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ જિલ્લાઓમાં થયેલ નુકસાનની  સ્થિતિના આકલન અને વ્યવસ્થા માટે મુલાકાત લેવાના ઉપક્રમ અન્વયે મુખ્યમંત્રીશ્રી ભાવનગર જિલ્લાનાં મહુવા ખાતે એક દિવસીય મુલાકાતે પધાર્યા છે. મુખ્યમંત્રીશ્રીને આવકાર આપવાં માટે હેલીપેડ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે, ધારાસભ્યશ્રી, આર.સી.મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઈ લંગળીયા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનાં અધિક મુખ્ય સચિવશ્રી મુકેશ પૂરી, જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણ બરનવાલ, રેન્જ આઈ.જી.અશોકકુમાર યાદવ ઉપસ્થિત રહ્યાં હતાં. વિજયભાઈ રૂપાણી મહુવાના નાના એવા પધીયારકા ગામની મુલાકાતે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત ગ્રામજનો સાથે સંવાદ કરીને મકાનો, માલમિલ્કત વગેરેના નુકસાનની વિગતો મેળવી હતી.

(12:50 pm IST)