Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધીજીની ૩૦મી પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દવારા દેશના પુર્વ વડાપ્રધાન અને આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા સ્વ. રાજીવ ગાંધીજીની ૩૦ મી પુણ્યતિથી નિમિતે શ્રઘ્ધાંજલી કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય અમરેલી ખાતે યોજાયેલ હતો. સ્વ. રાજીવજી એ દેશસેવા કરતા પોતાના જીવનું બલીદાન આપ્યું હતું. ત્યારે સ્વ. રાજીવ ગાંધીજી સેવા અને સમર્પણના સદભાવ સાથે પોતાનું જીવન જીવ્યા હોય જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ. રાજીવજીના વિચારોને આગળ ધપાવવા માટે હાલની કોરોના મહામારી અંતર્ગત ઓકસીજનની જરૂરીયાતવાળા દર્દીઓને વિનામુલ્યે ઓકસીજન સીલીન્ડર વિતરણ અને લોકોને માસ્ક અને સેનીટાઇઝર વિતરણ કાર્યક્રમ યોજાયેલ હતો. જિલ્લા  કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણીની ઉપસ્થિતીમાં સ્વ. રાજીવજીને શ્રઘ્ધાંજલી  અર્પણ કરી ઓકસીજન વિતરણ અને માસ્ક/સેનીટાઇઝર વિતરણ કાર્યક્રમમાં ડી.કે. રૈયાણી, મુઝફરહુસેન સૈયદ, વિપક્ષ નેતાના લઘુબંધુ શરદ ધાનાણી, મહિલા કોંગ્રેસ પ્રદેશ મંત્રી શ્રીમતી હંસાબેન જોષી,  અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી જનકભાઇ પંડયા, અરવિંદભાઇ સીતાપરા, વિઠ્ઠલભાઇ પડસાળા, ભુપતભાઇ અંટાળા, બક્ષીપંચ મોરચાના નારણભાઇ મકવાણા, ચંદુભાઇ બારૈયા, મહામંત્રી જમાલભાઇ મોગલ, લોક સરકાર ઇન્ચાર્જ સંદીપભાઇ પંડયા, યુથ કોંગ્રેસના પરેશભાઇ ભુવા, મોહનીસ ગોંડલીયા, અશરફભાઇ રાઠોડ (ખનખન), જીતુભાઇ ગોળવાળા, પ્રહલાદભાઇ  સોલંકી, રમેશભાઈ ધાનાણી, જગદીભાઇ તળાવીયા, મનસુખભાઇ ગોંડલીયા સહિતના કોંગી અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

(12:51 pm IST)