Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

મોરબી જીલ્લામાં આજે કોરોનાના માત્ર ૧૪ કેસ :સરકારી ચોપડે એકપણ મૃત્યુ નહિ: કોવીડ પ્રોટોકોલ મુજબ ફાયર ટીમે ૨ મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા

મોરબી જીલ્લામાં કોરોના સેમ્પલની સંખ્યા ઘટાડવામાં આવી હોય અને કેસોમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે આજે કોરોનાના જીલ્લામાં માત્ર ૧૪ નવા કેસ નોંધાયા છે તો સરકારી ચોપડે એકપણ મોત નોંધાયું નથી
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૦ કેસ જેમાં ૦૭ ગ્રામ્ય અને ૦૩ શહેરી વિસ્તારમાં, વાંકાનેરનો ૦૧ કેસ ગ્રામ્ય વિસ્તારમાં, ટંકારાના ૦૩ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૧૪ કેસ નોંધાયા તેમજ ૪૫ દર્દીઓ ડીસ્ચાર્જ કર્યા હોય તેમજ સરકારી ચોપડે એકપણ મોત ના નોંધાયું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું
આજે ફાયર ટીમે કોવીડ પ્રોટોકોલ મુજબ 02 મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા છે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૩૯૨ રહ્યો છે

(9:55 pm IST)