Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ભાવનગરમાં કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા.૨૨ : ભાવનગર શહેરમાં વધુ ચાર લોકો કોરોના સંક્રમિત થયા છે.

કોરોના વાયરસના કેસ નોંધાવવાનો સિલસિલો ભાવનગરમાં યથાવત રહેવા પામ્‍યો છે. કાલે ભાવનગર શહેરમાં બે મહિલા અને બે પુરૂષના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. શહેરના નારીરોડ, મોહન નગર અનેઆનંદનગર વિસ્‍તારમાં કોરોનાના કેસો નોંધાયા છે. હવે ભાવનગર જિલ્લામાં કોરોનાના એક્‍ટિવ દર્દીઓની સંખ્‍યા ૪૧ થઈ છે.

(10:32 am IST)