Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

બોટાદના રંગપરામાં ૧૨ દિવસ પહેલા ઝેરી દવા પી લેનારા ઇલાબેનનું મોત

રાજકોટ તા. ૨૨: બોટાદના રંગપર ગામે રહેતાં ઇલાબેન અરવિંદભાઇ પરમાર (કોળી) (ઉ.૩૮)એ બારેક દિવસ પહેલા બકાલામાં છાંટવાની દવા પી લેતા બોટાદ સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત સાંજે દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે બોટાદ પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર ઇલાબેનના પતિ ખેત મજૂરી કરે છે. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પરિવારજનોના કહેવા મુજબ તામસી મગજને કારણે તેણીએ આ પગલુ ભર્યુ હતું. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(12:20 pm IST)