Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

આજે કચ્છમાં નેચર ક્યોર સેન્ટર સહિત ૯ કેસ : વધુ એક પોલીસ કર્મીને કોરોના વળગ્યો : કુલ 357 કેસ થયા : ભુજ, મુન્દ્રા, માંડવી, ગાંધીધામ, રાપરમાં કોરોનાના કેસ

ભુજ : આજે વધુ ૯ કેસ સાથે કચ્છમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા સાડા ત્રણસોને વળોટી ૩૫૭ પર પહોંચી ગઈ છે. કચ્છના જાણીતા કુદરતી ઉપચાર કેન્દ્ર નવજીવન નેચર ક્યોર સેન્ટર (પુનડી પાટિયા, માંડવી)માં ૩૪ વર્ષીય મહિલાને કોરોના ડિટેકટ થયો છે. તે ઉપરાંત વધુ એક પોલીસ કર્મી અંજારના હેડ કોન્સ્ટેબલ નિકુંજસિંહ દાનુભા ઝાલાને કોરોના વળગ્યો છે. આ સિવાય ભુજ, ગાંધીધામ, રાપર, માંડવીમાં કોરોનાએ ફફડાટ મચાવ્યો છે.

કચ્છના કોરોનાના દર્દીઓની અત્યાર સુધીની આંકડાકીય માહિતી, સાજા થયેલા દર્દીઓ ૨૨૯, સારવાર હેઠળ ૧૧૦, મૃત્યુ પામેલ ૧૯, કચ્છમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૩૫૭ ઉપર પહોંચી છે.
જોકે, કોરોનાના ફફડાટ વચ્ચે તંત્ર દ્વારા આજે ફરી કચ્છની યાદી મોડી જાહેર થતાં સોશ્યલ મીડીયા ઉપર કોરોનાના કેસ સંદર્ભે પૂછપરછ વધી હતી. કચ્છમાં સંક્રમણને કારણે અત્યારે કોરોનાના કેસ ચિંતાજનક રીતે મોટી સંખ્યામાં વધી રહ્યા છે.

(9:46 pm IST)