Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

સૌરાષ્ટ્રના વ્હોરા સમાજના ગામેગામ ચાર માસ પછી ટીફીન યોજના શરૂ થવાની તૈયારી

જસદણ તા. રર : રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દાઉદી વ્હોરા સમાજમાં ચાલતી ટીફીન યોજના આગામી દિવસોમાં ચારમાસ જેટલા સમયગાળાથી બંધ હતી તે યોજના અંગે લીલી ઝંડી મળતા બે-ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના ગામેગામના બહુઘા વ્હોરા વસવાટ વાળા ગામે શરૂ થાય તે અંગે તડામાર તૈયારી થઇ રહી છે.

વિચાર વ્યવહાર અને વેપારમાં જબરૂ કાંઠુ કાઢનાર દાઉદી વ્હોરા સમાજમાં છેલ્લા નવ વર્ષથી દેશ અને દુનિયામાં સમાજના ત્રેપનમાં દાઇ (સર્વોચ્ય ધર્મગુરૂ) નામદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદક આલીકદર મુફદ્દલ સૈફુદ્દીનની સીધી દેખરેખ હેઠળ ચાલતી ફૈઝ ઉલ મવાઇદ અલ.બુરહાનીયાના નામથી ચાલતી ટીફીન સર્વિસ દરરોજ દરેક ગામોના અમીર ગરીબ દરેક વર્ગના વ્હોરા સમાજના ઘેરઘેર બપોરે એક ટંકનુ ભોજન પહોચાડે છે. પણ કોરોના વાઇરસની મહામારીને કારણે છેલ્લા ચાર માસથી વધુ સમય આ સર્વિસ બંધ હતી.

હવે કેટલાંક રાજયોમાં સરકારે અનલોક કરતા સૌરાષ્ટ્રના રાજકોટ મહુવા, ઉપલેટા, વિસાવદર, જામનગર, અમરેલી, ભાવનગર, જસદણ, બોટાદ, મોરબી, વાંકાનેર, જેતપુર, જુનાગઢ જેવા અનેક ગામોમાં આ ટીફીન યોજના શરૂ થશે આ માટે સૈયદના સાહેબેની રજા અને વહીવટી તંત્રની મંજુરી પણ લીધી હોવાનું જાણવા મળે છે.

અત્રે એ નોંધનીય છે કે દાઉદી વ્હોરા સમાજના ઘેર દરરોજ આવતા આ ટીફીન ભોજનને કારણે અનેક ઘરોમાં રાહત છે. જે બુર્ઝુગો છે. ગરીબો છે. તેમને માટે રાહતરૂપ છે.(

(11:43 am IST)