Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

જોડિયામાં કોંગ્રેસ દ્વારા ધરણા

વાંકાનેર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયાની સૂચના મુજબ બીજેપીની કિન્નાખોરી પ્રેરીત , કેન્‍દ્ર સરકારના ઈ ડી વિભાગ દ્વારા રાહુલ ગાંધીને નેશનલ હેરેલ્‍ડ કેસમાં કરવામાં આવતી સતત કનનડગત અને કોંગ્રેસ પક્ષના મુખ્‍ય મથકે પોલીસના અનાધિકૃત પ્રવેશ અંગે વિરોધ વ્‍યકત કરવા કોંગ્રેસ પક્ષના રાજયવ્‍યાપી ધરણાના કાર્યક્રમના ભાગરૂપે જોડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જોડીયામાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ જીવણભાઈ કુંભરવડિયા, જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજભાઈ ભીમાણી જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ નાથાભાઈ સાવરીયા જોડિયા તાલુકા કોંગ્રેસ બક્ષીપંચના પ્રમુખ બીજલભાઇ ખીમાણીયા જોડિયા તાલુકા સેવાદળના પ્રમુખ ભરતસિંહ જોડીયા ખેતી બેન્‍કના ચેરમેન દિલુભા જાડેજા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી કાનજીભાઈ વીરડા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ-પ્રમુખ મગન બાપા કાનાણી જોડિયા તાલુકા પંચાયતના સદસ્‍ય માવજીભાઈ ગોધાણી જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી સાગણીયા સાહેબ તથા અન્‍ય કોંગ્રેસી કાર્યકર્તાઓ આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્‍ન કરવામાં આવેલો છે. (તસ્‍વીરઃ પરેશ અનડકટ)

(11:59 am IST)