Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

નશો કરીને પતિએ ત્રાસ આપી મરવા મજબુર કરતા પરિણીતાએ ગળાફાંસો ખાધો

વિસાવદરની પરિણીતાનાં આપઘાતમાં મૃતકનાં પિતાની ફરિયાદ

જુનાગઢ તા.ર૩ : વિસાવદરની પરિણીતાના આપઘાતના બનાવમાં મૃતકના પિતાને જમાઇ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી છે. નશો કરી પતિએ ત્રાસ આપી મરવા મજબુર કરતા પરિણીતા રહે ગળાફાંસો ખાધો હોવાની ફરિયાદના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

વિસાવદરના નાની પીંડાખાઇગામના તલાટી મંત્રી  પાર્થ સુરેશભાઇ પંડયાની પત્ની પ્રિયંકાબેન (ઉ.વ.રપ)એ મંગળવારે તેના વિસાવદર ખાતેના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

દરમિયાન હાલ જેતપુર ખાતે રહેતા મૃતક પ્રિયંકાના પિતા જીતેન્દ્રભાઇ જયંતીલાલ ઠાકરે પ્રિયંકાના પતિ પાર્થ સુરેશભાઇ પંડયા સામે ગઇકાલે વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પાર્થ પંડયા નશો કરી અવાર નવાર ત્રાસ આપતો હોય જેનાથી પ્રિયંકા કંટાળી ગઇ હતી અને પતિએ પ્રિયંકાબેનને મરવા માટે મજબુર કરતા તેણીએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હોવાની ફરીયાદનાં આધારે પોલીસે કલમ ૪૯૮ (ક)  અને ૩૦૬ મુજબ પાર્થ પંડયા વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી.આઇ. એન.આર. પટેલ ચલાવી રહયા છે.

(1:00 pm IST)