Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

જામનગરમાં જન્માષ્ટમીએ યોજાતા મેળાનું આયોજન મુલતવી : સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણંય

કોરોના વાયરસનું સંક્રમણ વધતા મેળો મુલતવી રાખવા નિર્ણંય

જામનગરમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતા કેસો ની સંખ્યા સતત વધી રહી છે, ત્યારે આજે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશીને અધ્યક્ષસ્થાને મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ વર્ષે જામનગરમાં યોજાતા મેળાનું આયોજન મુલતવી રાખવાનો નિણર્ય કરવામાં આવ્યો છે. જો કે રાજકોટમાં પણ આ વખતે યોજાનાર મેળાનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે.

(1:47 pm IST)