Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

વાંકાનેરમાં સ્‍યુસાઇડનોટ લખી હોમગાર્ડ પ્રવિણભાઇનો ગળાફાંસો ખાઇ આપઘાત

પાણી ભરવા માટે પાડોશીએ દરવાજો ખોલતા યુવાન લટકતો જોવા મળ્‍યો : મૃતદેહને ફોરેન્‍સીક માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૩ : વાંકાનેર શકિતપરામાં રહેતા યુવાને સ્‍યુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.
મળતી વિગત મુજબ વાંકાનેર રેલવે સ્‍ટેશનની પાછળ આવેલ શકિતપરામાં રહેતા પ્રવિણભાઇ ભલાભાઇ સોલંકી (ઉ.વ.૪૫)એ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. સવારે પાણી ભરવા માટે પાડોશી તેને બોલાવવા માટે રૂમનો દરવાજો ખખડાવતા પ્રવિણભાઇએ દરવાજો ન ખોલતા દરવાજો તોડતા પ્રવિણભાઇ લટકતી હાલતમાં જોવા મળ્‍યા હતા. બાદ પોલીસને જાણ કરતા વાંકાનેર સીટી પોલીસ મથકના હેડ કોન્‍સ. યશપાલસિંહ સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા સ્‍યુસાઇડ નોટ મળી આવી હતી. મૃતક પ્રવિણભાઇ બે ભાઇમાં નાના હતા. તે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા તેમજ છૂટક મજૂરી કામ પણ કરતા હતા. યુવાનના આપઘાત પાછળનું કારણ જાણવા તેના મૃતદેહને ફોરેન્‍સીક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે.

 

(11:33 am IST)