Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

વિસાવદરમાં સતાધાર રોડ પર આર્યસમાજ સામે પુલ પરથી લકઝરી બસ નીચે ખાબકી : સદ્દનસીબે કોઇ જ જાનહાની નહીં

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૩: આ લખાઇ રહ્યુ છે ત્‍યારે બપોરે ૧૧ વાગ્‍યે વિસાવદરમાં સતાધાર રોડ પર આર્યસમાજના સામે પુલ પરથી એક મુસાફરો સાથેની લકઝરી બસ નીચે ખાબકી હોવાના સમાચારો મળે છે.જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલ કાવાણી તથા ગજાનન ગૃપના સુરેશ સાદરાણી સ્‍થળ પર છે.જાણવા મળતી પ્રાથમિક માહિતી મુજબ સદ્દનસીબે કોઇ જ જાનહાની થઇ નથી.વધુ વિગતો મેળવાઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,ગઇકાલે સાંજે આજ પુલ પરથી એક ટ્રક પુલ નીચે ખાબકયો હતો જેમાં પણ સદ્દનસીબે કોઇ જ જાનહાની થઇ ન હતી...ત્‍યારે આજે પણ આજ પુલ પરથી લકઝરી બસ પુલ નીચે ખાબકતા લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

(1:48 pm IST)