Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

જૂનાગઢ રાજગોર બ્રાહ્મણ સમાજના કારોબારી સભ્‍યોની નિયુકતી

જુનાગઢ : શહેરમાં વસતા જ્ઞાતિજનોમાંથી પ્રતિનિધિ અને કારોબારી સભ્‍યોની નિયુક્‍તિની ફાઈલ  સુપરત કરી. શહેરમાં વસતા તમામ જ્ઞાતિજનમાથી ૫૦ ઘર દિઠ એક પ્રતિનિધિની અગાઉ તારીખ,સ્‍થળ  અને સમયની જાણ કરેલ મિટિંગોમાં હાજર રહેલા જ્ઞાતિ જનોની સમંતિથી પ્રતિનિધિની  નિયુક્‍તિ કરવામાં આવી. તે પ્રતિનિધિ પૈકીમાથી એક તળતિયાંશ પ્રતિનિધિને કારોબારી સભ્‍યોની નિયુક્‍તિ કરવામાં આવી. ચુંટણી અધિકારીએ માંગેલ પત્રક પ્રમાણે ફાઇલ તૈયાર કરી મનુભાઈ રવિયા  -સહાયકો કમલેશભાઈ ભરાડ, ચૂંટણી અધિકારી તેમજ ભરતભાઈ જોશી તેમજ શહેરના પ્રતિનિધિ અને કારોબારી સભ્‍યોની નિયુક્‍તિની ફાઈલ બંન્નેની રૂબરૂમાં સુપરત કરવામાં આવી હતી.(તસ્‍વીર-અહેવાલ :વિનુ જોષી જૂનાગઢ)

(11:43 am IST)