Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

સોમનાથ ખાતે સામાજીક સદભાવના સંમેદન

 પ્રભાસપાટણ : સોમનાથ ખાતે રામમંદિર ઓડીટોરિયમ હોલ મા રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા ના અધ્યક્ષ અનેઙ્ગ સામાજીક ન્યાય અને અધિકારીતા ના કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે ની ઉપસ્થિતિ માં સામાજીક સદભાવના સંમેલન યોજાયું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ ખાતે આવેલ બોદ્ઘ ગુફા ઓંનુ રીનોવેશ કરવા બદલ સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી જેડી પરમાર અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા નુ રામદાસ આઠવલે એ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ અને આભાર વ્યકત કરેલ. તેમજ ડો.બાબાસાહેબ આંબેડકર ની ૧૩૧ જન્મ જયંતી નિમિત્ત્।ે તા ૩૦,૪,૨૦૨૨ નારોજ સોમનાથ પ્રભાસ પાટણ મા રામદાસ આઠવલે ના અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર કચ્છ મેધવાળ સમાજ ના સંત પરંપરાના સાધુ સંતો અને બોદ્ઘ ભીક્ષુક નુ સંમેલન યોજવા નુ નક્કી કરવામાં આવેલ છે જેનુ આમંત્રણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પણ આપવામાં આવશે આ કાર્યક્રમ ના આયોજન માટે ૧૫૧ સભ્યોની સમિતિ ટૂક સમયમાં બનાવવામાં આવશે.સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી જેડી પરમાર એ જણાવેલ કે બોદ્ઘ ગુફા ની બાજુમાં બુધ્ધ ની પ્રતિમા અને બોદ્ઘ વૃક્ષ રોપવા નો વિચાર વ્યકત કરેલ હતો.તા ૩૦ ના કાર્યક્રમ સંયોજક તરીકે ચંન્દ્ર સિંહ મહિડા અને માર્ગદર્શન તરીકે જે.ડી પરમાર છે.આ કાર્યક્રમ મા રિપબ્લિકન પાર્ટીના કાર્યકરો અને આગેવાનોને એ હાજરી આપી હતી અને રામદાસ આઠવલે નુ ફટાકડા ફોડી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુંઙ્ગ હતું.

(11:43 am IST)