Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

હળવદના રણમલપુર નજીક નર્મદા કેનાલમાં યુવાને ઝંપલાવ્યું હોવાની આશંકા !!

એંજારનો યુવાન ઘરેથી નિકળી ગયા બાદ કેનાલ કાંઠેથી ચપ્પલ મળી આવ્યા : શોધખોળ

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૨૩ : તાલુકાના રણમલપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ધાંગધ્રા તાલુકાના યુવાને ઝંપલાવ્યું હોવાની આશંકા વચ્ચે સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મુજબ ધાંગધ્રા તાલુકાના એંજાર ગામે રહેતા દલપતભાઈ થોભણભાઇ ડાભી ઉંમર વર્ષ ૨૦ ગઈકાલે બપોરે દ્યરેથી નીકળી ગયા બાદ પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી તેવામાં યુવાનના ચપ્પલ હળવદ તાલુકાના રણમલપુર પાસેથી પસાર થતી નર્મદા કેનાલ કાંઠેથી મળી આવ્યા છે સાથે જ આજુબાજુના લોકોના જણાવ્યા મુજબ આ યુવાને કેનાલમાં ઝંપલાવ્યું હોવાની ચર્ચા વચ્ચે હાલ તો સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે.

(11:45 am IST)