Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ટંકારાના લજાઇ ગામે ગુટખા - માવા બાબતે પિતાએ ઠપકો આપતા સગીરે જીવન ટૂંકાવ્યું

સજ્જનપર ગામે આધેડ રાજેશભાઇ ખોજાનો ઝેરી દવા પી આપઘાત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૩ : ટંકારાના લજાઈ ગામની સીમમાં વાડીમાં રહેતા સગીરને તેના પિતાજીએ ગુટખા તેમજ માવા બાબતે ઠપકો આપતા સગીરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજયું હતું.

મળતી માહિતી મુજબ ટંકારાના લજાઈ ગામની સીમમાં હેત પ્લાસ્ટ પેક કારખાનાની ઓરડીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની આશિષ મગનસિંધ ભુરીયા (ઉ.૧૫) ને તેના પિતાજી મગનસિંધે ગુટખા તેમજ માવા બાબતે ઠપકો આપતા આશિષે લીમડાના ઝાડની ડાળીએ દોરડા વડે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજયું હતું.જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં ટંકારાના સજ્જનપર ગામે રહેતા રાજેશભાઈ અમનભાઈ ખોજા (ઉ.૫૦) ગત તા.૨૨ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જયાં તેનું મૃત્યુ નીપજયું હતું જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(12:43 pm IST)