Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

આવતીકાલે પુરુષોત્તમ રૂપાલાની કચ્છના નખત્રાણામાં જાહેરસભા

કદાવર પાટીદાર નેતા કેન્દ્રીય મંત્રી ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રચારમાં જોડાશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩

જેમ જેમ ચુંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપનો પ્રચાર ભારે વેગ પકડી રહ્યો છે. ગુજરાતના આ ચુંટણી જંગમાં ભાજપના સ્ટાર પ્રચારકો નાના નાના શહેરો સુધી પ્રચાર અર્થે પહોંચી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અને કદાવર પાટીદાર નેતા પુરુષોત્તમ રૂપાલા અબડાસા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રચાર અર્થે આવતીકાલે કચ્છના નખત્રાણા મધ્યે આવી રહ્યા છે. અબડાસા મત વિસ્તારમાં પાટીદાર મતદારો બહોળી સંખ્યામાં છે અને આ વિસ્તારમાં આવતો નખત્રાણા તાલુકો મીની બારડોલી ગણાય છે. અબડાસા મત વિસ્તારમાંથી ચુંટણી લડતા પ્રદ્યુમનસિંહ જાડેજા મતદારો સાથે સીધો જ સંપર્ક ધરાવતા જમીની નેતા છે. ગ્રામીણ વિસ્તારોમાં તેમનું પ્રભુત્વ છે.

(9:49 am IST)