Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ઉપલેટામાં ૨૪થી આહીર રાજાબાપા સુવા પરિવાર દ્વારા ભાગવત સપ્‍તાહ

 (જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૨૩ :  ખાખીજાળીયા રોડ બાયપાસ પાસે પુ, રાજાબાપાના મંદિર ખાતે આગામી તા. ૨૪ના ગુરૂવારથી તા. ૧/૧૨ ગુરૂવાર સુધી શ્રી મુરલીધર કુળદેવી શ્રી પીઠળઆઇ અને ભગવાન શ્રી સ્‍વામીનારાયણની કળપાથી પળ, રાજાબાપા સુવા પરિવાર દ્વારા જાણીતા લોક સાહીત્‍યકાર અને ભાગવતાચાર્યૅ પૂ. લાખણશીભાઇ ગઢવી (જુનાગઢ) ના વ્‍યાસાશને શ્રી મદ ભાગવત સપ્તાહ શાનયશનું  આયોજન કરવામાં આવેલ છે.

જેમાં પોથી માત્રા તા. ૨૪ સાંજે ૪:૩૫ કલાકે સુરાપુરા બાપાના મંદિરેથી વાજતે ગાજતે નિકળશે તેમજ કલા દરમયાન   વામન જમંતિ, શક્ષમણી વિવાહ, શ્રી રામ જન્‍મ, સુદારા ચરિત્ર, નળશિંહ પ્રાગટય, કળષ્‍ણજનમોત્‍સવ સહીતના પ્રસંગો ખુબજ ધામધુમથી ઉજવવામાં આવશે તેમજ તા. ૩૦ના બુધવારે રાત્રે કાનગોપીનો કાર્યકમ રાખવામાં આવેલ છે આ કથાના સમય સવારે ૯ થી ૧૨ અને બપોરના ૩ થી ૬નો રાખવામાં આવેલ છે અને કથા શ્રવણ કરવા આવનાર કુટુંબી સગા સબંધી માટે બપોરના અને સાંજે ભોજન પ્રસાદની વ્‍યવસ્‍થા રાખેલ છે તેમજ તા. ૧ના ગુરૂવારે બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે અને રૂક્ષમણી વિવાહ પ્રસંગે કાળીયા ઠાકરની જાન ઉકાભાઇ બારૈયાના વિકમ ચોક ખાતેના નિવાસ્‍થાનેથી વાજતે ગાજતે નિકળશે.

આ કથાનું રસપાન કરવા સગા સબંધી મિત્રો અને જ્ઞાતીજનો વિગેરેને પૂ. રાજાબાપા પરિવારના સ્‍વ, સોમાતભાઇ ભુટાભાઇ સુવા, હરદાસભાઇ ભુટાભાઇ સુવા, સ્‍વ. ગોવિંદભાઇ ભુટાભાઇ સુવા, કાનાભાઇ નારણભાઇ સુવા, રાજશીભાઇ નારણભાઇ સુવા પરિવાર દ્વારા નિમંત્રણ પત્રીકાઓ મોકલી તોહ નિમંત્રણ આપેલ છે.

(10:31 am IST)