Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ગિરનારની યાત્રાએ આવેલ યુવાન અનંતની યાત્રાએ

છાતીમાં દુઃખાવો થતા મૃત્‍યું

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૩ : ગિરનારની યાત્રાએ આવેલ ભરૂચ જિલ્લાનો યુવાન અનંતની યાત્રાએ ઉપડી જતા ગમગીની પ્રસરી ગઇ હતી.

ભરૂચના વરખાડ ગામનાં ૩૯ વર્ષીય લાલજીભાઇ પ્રતાપભાઇ વસાવા વગેરે ગિરનારની યાત્રાએ આવેલ. આ દરમ્‍યાન ગિરનાર પર્વત ખાતેની કમંડળ કુંડની જગ્‍યાએ પહોંચતા લાલજીભાઇનું છાતીમાં દુઃખાવો થતા અને શ્વાસ લેવામાં તકલીફ થતા મૃત્‍યું થયું હતું.

આ અંગે જૂનાગઢના સમીરભાઇ ભટેશ્વરાએ જાણ કરતા ભવનાથ પોલીસે દોડી જઇ યુવાનનાં મૃતદેહને પર્વત ઉપરથી નીચે ઉતારી પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપ્‍યો હતો.

(11:52 am IST)