Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

જામનગરમાં ધર્મસભા

 જામનગરઃ સ્થિત ગીતા વિદ્યાલય ખાતે ગીતા જયંતિ નિમિતે ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ જેમાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય જામનગરના પ્રભારી સુષ્માદીદી એ ઉપસ્થિત રહી બાળકોને ગીતાજી પર પ્રાસંગિક અર્પેલ તો જામનગરના મેયર બિનાબેન કોઠારી પણ રામમંદિર અને કાશી વિશ્વનાથ મંદિરનો ઉલ્લેખ કરી બાળકોને હિન્દુ ધર્મ અંગે માહિતગાર કર્યા હતા આ પ્રસંગે વિદ્યાલયના તેજસ્વી બાળકોને પુરસ્કૃત કરવામાં આવેલ. કાર્યક્રમને સાંસદ પુનમબેન માડમે શુભેચ્છા પાઠવેલ તો પૂર્વમંત્રી અને ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા પ્રસાદ વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે વિદ્યાલયના પુર્વ વિદ્યાર્થિઓ પણ મોટી સંખ્યામાં ઉપસિથત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઇ દવે એ કરેલ. (તસ્વીરઃ વિશ્વાસ ઠકકર)

(11:24 am IST)