Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

મોરબીમાં સંતાન ન થતા પરણિતા વૃંદાબેન પીઠવાનો ફાંસો ખાઇ આપઘાત

ઘુટું ગામની સીમમાં પ્રેમસંબંધમાં લાગી આવતા રવિ પાલે ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૩ : મોરબીના ચંદ્રેશનગર મેઈન રોડ પર રહેતી પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે તપાસ કરતા સંતાન ન થતાં પરણિતાએ આપઘાત કર્યાનું ખુલ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના ચંદ્રેશનગર મેઈન રોડ રહેતી વૃંદાબેન કેયુરભાઈ પીઠવા (ઉ.૨૯) એ ગત તા. ૨૧ નાં રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ પીએસઆઈ આર પી રાણા એ ચલાવી હતી જેમાં પ્રાથમિક તપાસમાં પરિણીતાના લગ્નને સાડા ત્રણ વર્ષ થયા છે તો પરિણીતાને સંતાન ન થતું હોય જેથી લાગી આવતા વૃંદાબેને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું ખુલ્યું છે.

મોરબીના ઘુટું ગામની સીમમાં રહેતા રવિ મુન્ના પાલ (ઉ.૧૮) ને છેલ્લા એક વર્ષથી મનીષા નામની છોકરી સાથે પ્રેમ સંબધ હોય જેના કારણે મનમાં લાગી આવતા રવિ મુન્ના પાલે પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજયું હતું તો ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(1:48 pm IST)