Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

મોરબી : અકસ્માતના ૩ બનાવમાં ૩ ના મોત

જાંબુડીયા પાસે અજાણ્યા વાહન હડફેટે અશોકકુમાર, બેલા પાસે વાહન હડફેટે સગીર સંતકુમાર તથા ટંકારા પાસે અકસ્માતમાં મનીબેન ભુરીયાનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. રરઃ  જીલ્લામાં અકસ્માતના અલગ-અલગ ત્રણ બનાવમાં ત્રણ ના મોત થયા હતા.

પ્રથમ બનાવમાં મોરબીના જાંબુડીયા ધર્મસિદ્ધી સોસાયટી રહેતા રાજુપ્રસાદ નારાયણપ્રસાદ કુસ્વાહ (ઉ.૩૮) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો કૌટુંબિકભાઈ અશોકકુમાર (ઉ.૨૩) જાંબુડીયા ગામ દશામાંના ગેટ પાસે નેશનલ હાઈવે પર પગપાળા ચાલીને રોડ ક્રોસ કરતો હોય દરમિયાન કોઈ અજાણ્યા વાહનના ચાલકે પુર ઝડપે અને બેદરકારીથી પોતાનું વાહન ચલાવીને ફરિયાદીભાઈ કૌટુંબિકભાઈ અશોકકુમારને હડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો વાહન ચાલક વાહન લઇ નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં  મોરબીના જાંબુડીયા ધર્મસિદ્ધી સોસાયટી રહેતા રાજુપ્રસાદ નારાયણપ્રસાદ કુસ્વાહ (ઉ.૩૮) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો કૌટુંબિકભાઈ અશોકકુમાર (ઉ.૨૩) જાંબુડીયા ગામ દશામાંના ગેટ પાસે નેશનલ હાઈવે પર પગપાળા ચાલીને રોડ ક્રોસ કરતો હોય દરમિયાન કોઈ અજાણ્યા વાહનના ચાલકે પુર ઝડપે અને બેદરકારીથી પોતાનું વાહન ચલાવીને ફરિયાદીભાઈ કૌટુંબિકભાઈ અશોકકુમારને હડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો વાહન ચાલક વાહન લઇ નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં લાલપુર તાલુકાના મોટા પાંચેસરા ગામે રહેતા કૈલાશભાઈ લીંબાભાઈ ભુરીયા (ઉ.૩૭) એ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૧ ના રોજ તેની માતા મનીબેન લીંબાભાઈ ભુરીયા રહે-હાલ ટંકારા તાલુકા પંચાયત કચેરી સામે ટંકારા લતીપર રોડ પર હોન્ડાના શો રૂમની સામે રોડ પર ચાલીને જતા હોય દરમિયાન કોઈ અજાણ્યા વાહને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે 

(12:53 pm IST)